વિજ્ઞાન અને ટેકનોલોજી
38.)જીનોમ એડિટીંગ શું છે? તેના લાભોની ચર્ચા કરો. સાથે જ, તેનાથી સંબંધિત ચિંતાઓનો પણ ઉલ્લેખ કરો.
અભિગમ :
• જીનોમ એડિટીંગની વ્યાખ્યા આપતા જવાબ શરૂ કરો.
• જીનોમ એડિટીંગના લાભો પર પ્રકાશ પાડો.
• જીનોમ એડિટીંગના સંભવિત દુરૂપયોગના સંબંધમાં ઉદ્ભવિત ચિંતાનો ઉલ્લેખ કરો.
• તદઅનુસાર નિષ્કર્ષ પ્રસ્તુત કરો
ઉત્તર:
જીનોમ એડિટીંગ કોઈ કોશિકા અથવા જીવ ના ડીએનએમાં વિશિષ્ટ ફેરફાર કરવાની એક પ્રક્રિયા છે. આ જિનોમ વિશિષ્ટ સ્થાનોમાં આનુવાંશિક સામગ્રીને જોડવું, દૂર કરવું અથવા તેને બદલવાની મંજૂરી આપે છે.
જીનોમ એડિટીંગ માટે કેટલીક તકનીકો વિકસાવવામાં આવી છે, જેમ કે ક્રિસ્પર-કેસ 9, ટ્રાન્સક્રિપ્શન એકટિવેટર લાઈક ઈફેક્ટર ન્યૂક્લીજ (TALEN) ઝિક-ફિંગર ન્યૂક્લિયસ (ZFN)
જીનોમ એડિટીંગના લાભ
• આનુવંશિક રિસર્ચઃ જીનોમ એડિટીંગનો ઉપયોગ કોશિકાઓ અથવા જીવોના ડીએનએમાં ફેરફાર કરવા માટે કરી શકાય છે.જેથી કરીને તેમની બાયોલૉજી અને તેમની કાર્ય પદ્ધતિ સમજી શકાય.
• ચિકિત્સા ઉપચારઃ આનો ઉપયોગ માનવ રક્તની કોષિકામાં સુધાર કરવા માટે કરવામાં આવે છે. આ સુધાર કોષિકાને લ્યુકેમિયા, એડ્સ તથા આનુવાંશિક વિકૃતિઓ (જેમ કે સિકલ સેલ રોગ) વગેરેના ઉપચાર માટે શરીર ફરી દાખલ કરવામાં પાછા આવે છે.
• જૈવપ્રોધોગીકી:કૃષિમાં આનો ઉપયોગ પાકની ઉત્પાદકતા વધારવા તથા રોગ અને દુકાળ પ્રતિ તેમની પ્રતિરોધક ક્ષમતામાં સુધારો કરવા માટે તેઓને આનુવંશિક સ્વરૂપે સુધારી શકાય છે.
• ચિકિત્સીય ક્લોનિંગઃ આનો ઉપયોગ ચિકિત્સીય ક્લોનિંગ માટે પણ કરી શકાય છે. આનામાં પ્રત્યારોપણ માટે શરીરના અંગો પ્રાપ્ત કરવા માટે ભ્રુણ કોષિકાઓનું ક્લોન તૈયારી કરવામાં આવે છે.
• આર્થિક લાભ: ઉપરોક્ત દરેક ઉનુપ્રયોગ મળીને આવતા દાયકા માં ભારતને આર્થિક વિકાસની નવી ઉંચાઈઓ સર કરશે.
જીનોમ એડિટીંગથી જોડાયેલ ચિંતાઓ
• નૈતિક દુવિધાઃ તે નૈતિક અને નીતિશાસ્ત્રીય ચિંતાઓ ઉત્પન્ન કરે છે. જેમ કે યુજીનિક્સ સૌથી યોગ્યતમ ને જીવતઃ રહેવામાં સહાયતા કરે છે તથા ક્લોન્સ, ડિઝાઈનર શિશુઓ અને સુપર-માનવનો સંભવિતપણે વિકાસ થઈ શકે છે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવાના કારણે ધાર્મિક બાબત પણ છે.
• સુરક્ષા સંબંધિત ચિંતાઓ: સૌથી નાની કોશિકાના સ્તર પર પણ કરવામાં આવેલ નાના બદલાવથી પણ અનઅપેક્ષિત પરિણામ ઉત્પન્ન કરી શકે છે.એવી ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ વિશેષ રોગ સમાપ્ત કરવા માટે થઇ ને , તે એક નવો અને વધુ જોખમી રોગ પેદા કરી શકે છે. માનવ ઉપભોગ માટે આનુવંશિક રૂપે સુધારેલ પાકોનો ઉપયોગના વિરોધી પણ ચિંતા વ્યક્ત કરે છે.
• સામાજિક ચિંતાઓ: આ વિવિધ સામાજિક બાધાઓને વધુ મજબૂત કરી શકે છે, જેમ કે બાળકોમાં છોકરાઓને વરીયતા આપવી. આ આનુવંશિક અસમાનતા એટલે કે જેનેટિક હેવ્સ અને હેવ્સ-નૉટ્સ ઉત્પન્ન કરશે.
• વિધિક ચિંતાઓ: વર્તમાનમાં આ ટેકનિકથી સંબંધિત પ્રથાઓ અને અનુપ્રયોગને નિયંત્રિત કરવા માટે કોઈ નિયામક સંસ્થા કાર્યરત નથી. સાથે જ જીનોમ એડિટીંગ પ્રૌદ્યોગિકીઓના નૈદાનિક પરીક્ષણ માટે કોઈ માપદંડ નથી. આ રીતે પારદર્શિતા અને જવાબદેહી સંબંધિત ચિંતાઓ ઉત્પન્ન થાય છે.
નજીકના ભવિષ્યમાં થવા વાળી જૈવપ્રોધોગીક ક્રાંતિ રિસ્પોન્સિવ અને નિર્વિવાદ લાગે છે. તેથી, આણ્વિક ચિકિત્સા અને અન્ય ગેર-નૈદાનિક રોગ તથા ખાદ્ય ઉદ્યોગો માટે જીનોમ એડિટીંગથી સંબંધિત પ્રૌદ્યોગિકોનો જરૂરી પહલુઓના સામંજસ્યપુણ અને વિનિયમિત ઉપિયોગની જરૂર છે.
Comments
Post a Comment